Join Telegram Channel Join Now

Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Agneepath Yojana army navy air force

અગ્નિપથ યોજના /  અગ્નિપથ ભરતી


Agneepath Yojana army navy air force 2022

અગ્નિપથ યોજના શું છે ?

What is Agneepath Yojana in Gujarati ?
  •  ભારતીય સેનાની ત્રણેય પાંખ ભૂમિદળ ( આર્મી ) , નૌકાદળ ( નેવી ) અને હવાઈદળ ( એરફોર્સ ) માં ભરતી થશે .
  • ભારતીય સેનામાં ૪ વર્ષ આકર્ષક વળતર સાથે સેવાની તક 
  • યોજનામાં જોડાનારને અગ્નિવીર નો ખાસ હોદ્દો મળશે.
  • દર વર્ષે અંદાજે ૪૦,૦૦૦ અગ્નિવીરની ભરતી થશે.
  • યુવાનોને લશ્કરી તાલીમનો લાભ મળશે. જેના વડે જીવન ઘડતર થશે .
  • 25% અગ્નિવીરોને લાયકાતના ધોરણે ૪ વર્ષ બાદ પણ સેવા - નોકરીની તક.

 અગ્નિપથ યોજના હેઠળ પગાર કેટલો હોય છે ?

અગ્નિપથ યોજના

  • ૪ વર્ષ એટલે કે ૪૮ માસની સેવા પેટે કુલ વળતર ૧૧.૭૧ + ૧૧.૭૧ = ૨૩.૪૨ લાખ મળશે . જેની ગણતરી કરીએ તો ૨૩,૪૨,૦૦૦ / ૪૮ કરતા સરેરાશ માસિક વેતન ૪૮,૭૯૦ / - મળશે.
  • ભારતીય સેનામાં ૪ વર્ષની સેવા બાદ લાયકાત મુજબ કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / રેલ્વે / બેંક વિગેરેમાં નોકરી માટે અગ્રતા મળી શકે. 
  • સેનામાં ૪ વર્ષની સેવા બાદ સ્વરોજગાર ધંધા - ઉદ્યોગ માટે બેંક લોન મેળવવામાં સરળતા રહે . 
  • સેવાકાળના ૪ વર્ષ દરમ્યાન કેન્ટીન તથા મેડીકલની સુવિધા મળશે. 

ખાસ અગત્યની બાબત એ છે કે યુવાનોને રાષ્ટ્ર સેવા સાથે , આકર્ષક આર્થિક વળતર કે જીવન ઘડતરનો અને પોતાના વ્યક્તિત્વ ઘડતરનો અનેરો લાભ પ્રાપ્ત થશે .


અગ્નિપથ યોજના માટે વય મર્યાદા કેટલી છે ?

Age limit for Agneepath yojana in Gujarati.
 
અગ્નિપથ યોજના માટે વય મર્યાદા 17.5 થી 23 વર્ષ છે.


અગ્નિપથ યોજના માટે શૈક્ષણિક લાયકાત કેટલી છે ?

જનરલ ડ્યુટી , ટેકનિકલ અને ક્લાર્ક માટે ધોરણ -૧૦ પાસ ટ્રેડસમેન માટે ધોરણ - ૮ પાસ (વધુ માહિતી માટે ઓફીસીઅલ જાહેરાત જુઓ)


અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર યુવાનોને શું લાભ થથે ? 

  • યુવાનોનું જીવન ઘડતર થશે.
  • અગ્નિપથ યોજના દેશને આધુનિક ટેક્નોલોજીથી સશક્ત યુવા સેના આપશે
  • યુવાનોમાં શિસ્ત અને સમજણ વધશે.
  • જીવનમાં સમયપાલનનો ગુણ વિકસશે.
  • યુવાધન દેશ સેવા પૂર્ણ કર્યાબાદ પોતાનાં પરિવાર માટે યુવાનીનો વધુ સમય આપી શકશે.
  • યુવાધન શારીરિક રીતે ખડતલ અને મજબુત બનશે. 
  • યુવાનોમાં આળસ દુર થશે અને પરિશ્રમ કરવાની ટેવ પડશે. 
  • યુવાનોના વ્યક્તિત્વનો વિકાસ થશે. 
  • સમુહમાં રહેવાની , સમુહમાં કામ કરવાની સંઘભાવના કેળવાશે. 
  • દેશ ભાવના - રાષ્ટ્ર પ્રેમ વિકસિત થશે તથા બહોળા પ્રમાણમાં યુવાનોને દેશ સેવાની તક મળશે.
  • રાષ્ટ્ર - સમાજ પ્રત્યેની ફરજ ઉજાગર થશે.
  • ચારિત્રવાન યુવાનો તૈયાર થશે.
  • લશ્કરી તાલીમ જીવન પર્યંત ઉપયોગી બનશે.
  • રાષ્ટ્ર માટે સારા નાગરિકનું ઘડતર થશે.
Agneepath Yojana army navy air force

Post a Comment

Previous Post Next Post