Moral story in Gujarati - શ્રેષ્ઠ અને પ્રેરણાદાયક વાર્તાઓ
આજના આ ઝડપી યુગમાં, જ્યાં દરેક વ્યક્તિ કામમાં વ્યસ્ત છે, ત્યાં મનને શાંતિ અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે એક સારી વાર્તા ખૂબ જ જરૂરી છે. જો તમે જીવનમાં નવી પ્રેરણા અને સકારાત્મક વિચારસરણી ઇચ્છો છો, તો આ post ફક્ત તમારા માટે જ છે. અહીં અમે તમારા માટે કેટલીક શ્રેષ્ઠ Moral story in Gujarati લાવ્યા છીએ. આ વાર્તાઓ માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી છે. એક નાનકડી વાર્તા ઘણીવાર આપણા જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે. ચાલો, આ અદ્ભુત અને પ્રેરણાદાયી વાર્તાઓની દુનિયામાં જઈએ.
ગુજરાતી બોધ કથાઓનું જીવનમાં મહત્વ
કહેવાય છે કે વાર્તાઓ એ સંસ્કારોનું સિંચન કરવાનું સૌથી સરળ માધ્યમ છે. ખાસ કરીને જ્યારે આપણે Short moral stories in Gujarati વાંચીએ છીએ, ત્યારે તે આપણા મગજ પર ઊંડી છાપ છોડે છે.
નાનપણમાં આપણા દાદા-દાદી આપણને વાર્તાઓ કહેતા હતા, જેમાં હંમેશા એક છુપાયેલો બોધ રહેતો હતો. આ બોધ વાર્તા ટૂંકી ગુજરાતી આપણા ચારિત્ર્યના નિર્માણમાં મોટો ભાગ ભજવે છે. આજના ડીજીટલ સમયમાં લોકો પાસે સમય ઓછો છે, તેથી Gujarati motivation short stories વાંચવી એ એક ઉત્તમ વિકલ્પ છે. આ વાર્તાઓ આપણને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધીરજ રાખતા, પ્રામાણિકતાથી કામ કરતા અને એકબીજાને મદદ કરતા શીખવે છે. જ્યારે તમે નિરાશ હોવ, ત્યારે આ વાર્તાઓ એક ઊર્જાના સ્ત્રોત તરીકે કામ કરે છે અને તમને આગળ વધવાની પ્રેરણા આપે છે.
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ (Step-by-Step Stories)
અહીં અમે તમારા માટે અમુક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક વાર્તાઓ રજૂ કરી છે:
- સત્યવાદી
- હંમેશા સત્યનો સાથ આપવો
- બે બહાદુર મિત્રો
- મહાત્મા ગાંધી
- બે સગા ભાઈઓ
- વિનમ્રતા
- જીવનમા સંયમનું મહત્વ
- ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું
આ પણ એક વાર જરૂર વાંચજો
✔ વિશ્વની શ્રેષ્ઠ પ્રેરણાત્મક વાર્તા
વાર્તાઓમાંથી મળતા જીવનના મૂલ્યો (Expert Tips)
વાર્તાઓ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી. આધુનિક રિસર્ચ અને નિષ્ણાતોના મતે, દરરોજ માત્ર 10 મિનિટ સારું વાંચન કરવાથી તણાવ (Stress) માં 68% જેટલો ઘટાડો થઈ શકે છે.
નિયમિત વાંચન કરો: રોજ સૂતા પહેલા એક Moral story in Gujarati વાંચવાની આદત પાડો. આનાથી મગજ શાંત રહે છે અને ઊંઘ સારી આવે છે.
બાળકો સાથે ચર્ચા કરો: વાર્તા પૂરી થયા પછી બાળકોને પૂછો કે "તમે આમાંથી શું શીખ્યા?". આનાથી તેમનો બૌદ્ધિક વિકાસ થાય છે.
સ્માર્ટફોનનો વિકલ્પ: આજે બાળકો 3-4 કલાક મોબાઈલ સ્ક્રીન પર વિતાવે છે. જો તમે તેમને શોર્ટ વાર્તાઓ વાંચવા આપશો, તો તેમની આંખોને નુકસાન થતું બચશે અને તેમની કલ્પનાશક્તિ (Imagination) વધશે.
પ્રેક્ટિકલ ઉદાહરણ: માત્ર વાર્તા વાંચી લેવી પૂરતી નથી, પરંતુ તેમાં દર્શાવેલ પ્રામાણિકતા, સહકાર અને દયા જેવા ગુણોને રોજના જીવનમાં ઉતારવા ખૂબ જરૂરી છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
પ્રશ્ન 1: શ્રેષ્ઠ Moral story in Gujarati ક્યાંથી મળશે?
જવાબ: તમે gujaratimitra.in પરથી ઘણી બધી પ્રેરણાદાયક અને શ્રેષ્ઠ ગુજરાતી બોધ કથાઓ વાંચી શકો છો. અમે નિયમિતપણે નવા અને સકારાત્મક લેખો અપડેટ કરીએ છીએ.
પ્રશ્ન 2: બાળકો માટે કઈ બોધ વાર્તા ટૂંકી ગુજરાતી સારી છે?
જવાબ: પંચતંત્રની વાર્તાઓ, અકબર-બીરબલની વાર્તાઓ અને પ્રાણીઓની નાની વાર્તાઓ બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તે તેમને સરળતાથી સાચું અને ખોટું સમજવામાં મદદ કરે છે.
પ્રશ્ન 3: શું Gujarati motivation short stories વાંચવાથી ખરેખર ફાયદો થાય છે?
જવાબ: હા, ચોક્કસ! મોટિવેશનલ વાર્તાઓ નિરાશાને દૂર કરે છે. તે વાસ્તવિક જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા માટે આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે અને નવો ઉત્સાહ પૂરો પાડે છે.
નિષ્કર્ષ
આપણું જીવન એક પુસ્તક જેવું છે, અને દરરોજ આપણે તેમાં એક નવું પાનું લખીએ છીએ. એક સારી Moral story in Gujarati તમારા જીવનના આ પાનાઓને સુંદર અને અર્થપૂર્ણ બનાવી શકે છે. મને આશા છે કે આ ટૂંકી બોધ વાર્તાઓ તમને અને તમારા પરિવારને પસંદ આવી હશે.
તમને આમાંથી કઈ વાર્તા સૌથી વધુ ગમી? અમને નીચે Comment કરીને જરૂર જણાવો અને આ પોસ્ટને તમારા મિત્રો અને પરિવારજનો સાથે WhatsApp અને Facebook પર Share કરવાનું ભૂલશો નહીં. આવી જ અવનવી અને પ્રેરણાદાયક માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.
1. સત્યવાદી
એક દિવસ વર્ગમાં શિક્ષક ભણાવતા હતા તે વખતે વિદ્યાર્થીઓ અંદરો-અંદર વાતો કરી રહ્યા હતા તેમાં નરેન્દ્ર પણ હતા. શિક્ષક બધાને ઉભા કરીને પોતે શું ભણાવતા હતા તે વિશે પૂછયું તો કોઈ વિદ્યાર્થી જવાબ આપી શકયા નહી. પરંતુ નરેન્દ્રએ જવાબ આપ્યો. ભલે તે વાતો કરતો હતો પણ સાથે સાથે શિક્ષક શું ભણાવે છે. તેમાં પણ એનું ધ્યાન હતું.
આથી શિક્ષકે એના સિવાય બધા છોકરાઓને ઉભા રહેવાની સજા કરી ત્યારે નરેન્દ્રએ કહ્યું, સાહેબ મને પણ સજા થવી જોઇએ કારણ કે હું પણ વાતો કરતો હતો. એમ કહીને તે પણ ઉભો જ રહ્યો. આજ સત્યવાદી છોકરો નરેન્દ્ર આગળ જતાં સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા.
બોધ : મિત્રો ભલે આપણે સજાને પાત્ર બનીયે પણ સાથ હંમેશા સત્યનો જ આપવો જોઈએ.
2. હંમેશા સત્યનો સાથ આપવો
ગુજરાતના એક પ્રાંતમાં સ્કૂલ હતી ત્યાં એક દિવસ અચાનક એક નિર્ણય સંભળાવવામાં આવ્યો કે જે પણ વિદ્યાર્થી ત્યાં ભણી રહ્યા છે, તેઓ પુસ્તકો પણ તે જ સ્કૂલમાંથી ખરીદશે. બહારની દુકાનોમાંથી કોઈપણ પુસ્તક ખરીદશે નહીં. તેની પાછળ કારણ હતું કે, આવું કરવાથી સ્કૂલ અને ટીચર્સને આર્થિક લાભ થઈ રહ્યો હતો.
બધા જ વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો સ્વીકાર કર્યો. બધા જ સ્કૂલમાંથી જ પુસ્તકો ખરીદવા માટે તૈયાર થઈ ગયા પરંતુ એક વિદ્યાર્થી એવો પણ હતો, જેણે સ્કૂલના આ નિર્ણયનો વિરોધ કર્યો. પુસ્તકો ખરીદવાની ના પાડી દીધી. અનેક પ્રકારની વાતો સંભળાવી. સમજાવવામાં આવ્યો. ધમકાવવામાં પણ આવ્યો પરંતુ તે વિદ્યાર્થી સહેજ પણ માન્યો નહીં. સ્કૂલ મેનેજમેન્ટ પોતાના નિર્ણય પર અડગ હતાં અને વિદ્યાર્થી પોતાના વિરોધ પર અડગ હતો. વાત વધારે આગળ વધી.
વિદ્યાર્થીએ સ્કૂલમાં આંદોલન શરૂ કર્યું. ધીમે-ધીમે તેમા અન્ય વિદ્યાર્થી અને માતા-પિતા પણ જોડાતા ગયાં. આંદોલન તે સ્તરે પહોંચી ગયું કે સ્કૂલ મેનેજમેન્ટે પોતાનો નિર્ણય બદલવો પડ્યો. સ્કૂલ મેનેજમેન્ટ અને ટીચર્સ વિરૂદ્ધ આંદોલન કરવાની હિંમતથી તે વિદ્યાર્થીના ખૂબ જ વખાણ થયાં તેને શાબાશી પણ આપવામાં આવી. તે વિદ્યાર્થીનું નામ વલ્લભ ભાઈ પટેલ હતું. જે ભવિષ્યમાં સરદાર પટેલ બન્યાં.
સરદારના સ્વભાવમાં આ વાત બાળપણથી જ હતી કે જ્યાં પણ કશુંક ખોટું જોવે, ત્યારે તેના વિરોધમાં ઊભા થઈ જતાં હતાં. તેમણે કહ્યું કે શિક્ષક આપણા ગુરુ છે, સન્માનનીય છે પરંતુ પુસ્તકો સ્કૂલથી વેચવાનો જે નિર્ણય હતો, તેની પાછળ લાલચ હતી. જો આપણાં સન્માનનીય અને ગુરુજન પણ ખોટું કરી રહ્યા હોય તો તેમનો વિરોધ કરવામાં કોઇ મુશ્કેલી આવવી જોઈએ નહીં. જો પુસ્તકો આ પ્રકારે સ્કૂલમાંથી જ વેચવામાં આવે તો જે શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી પહોંચવું જોઈએ તે પહોંચી શકશે નહીં.
બોધપાઠ : બાળકોમાં શરૂઆતથી જ એવા સંસ્કાર હોવા જોઈએ કે તેઓ ખોટી વાતોનો વિરોધ કરી શકે. અભ્યાસનું મહત્ત્વ ત્યારે જ છે. જો આપણાં વડીલો પણ કશુંક ખોટું કરી રહ્યા હોય તો તેમનો પણ વિરોધ થવો જોઈએ.
3. બે બહાદુર મિત્રો
તમે વડોદરા ગયા હશો અને કમાટીબાગમાં તો જોયો જ હશે ને ? આ બાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતાં ડાબી તરફ બે પૂતળાં જોવા મળશે. આ પૂતળાં બે યુવાન છોકરાઓનાં છે. તે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ પૂતળા હશે કોનાં ? એ છોકરાઓ કઈ રાજકુમાર જેવા લાગતા નથી. બંનેના માથે ફાળિયાં બાંધેલ છે. એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે.
આ પૂતળાં હરિ અને અરજણ નામના બે યુવાન છોકરાનાં છે તે સુખપુર ગામ ધારી તાલુકો (અમરેલી) વતની હતા. તે જોઈએ તો એમ થાય કે ક્યાં વડોદરાને ક્યાં અમરેલીનું સુખપુર. એમનાં પૂતળાં કમાટીબાગમાં કેમ ? આની પાછળ એક બહાદુરીભરી કથા છે. આજથી લગભગ ઘણા સમય પહેલાની આ વાત છે.
તે સમયે વડોદરામાં મહારાજા સયાજીરાવ રાજાનું રજવાડું હતું. તેઓ એક વાર કાંગસા ગામ પાસેના જંગલમાં સિંહના શિકાર માટે ગયા હતા. શિયાળાની શરૂઆત હતી એટલે દિવસ જલદી આથમી જતો હોય છે.
કાંગસા ગામ નજીક એક વોકળો હતો (વોકળો એટલે નાનું નદી જેવું ઝરણું). આ વોકળા પર સાંજના સમયમાં જંગલમાંથી પ્રાણીઓ પાણી પીવા આવતાં. કાંગસા ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું હતું. શિકારી લોકો વોકળા પાસે માંચડો બાંધી પ્રાણીઓનો શિકાર કરતા. માહારાજાએ માંચડો બંધાવ્યો. મહારાજા માંચડા પર તેમના મદદનીશો સાથે ગોઠવાયા. બાજુમાં સુખપુર નામનું એક ગામ હતું. હરિ અને અરજણ નામના બે જુવાનિયા શિકારના શોખીન હતા.
મહારાજા કેવી રીતે શિકાર કરે છે તે જોવા તેઓ આવ્યા હતા. બંને મિત્રો દૂર દૂર ઝાડની પાછળ સંતાઈને ઊભા હતા. તેમની પાસે છરી જેવું નાનકડું હથિયાર હતું. સૂરજ આથમી ગયો. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. એટલામાં વોકળા પર એક સિંહ પાણી પીવા આવ્યો. મહારાજે નિશાન લઈ ગોળી છોડી,પરંતુ ગોળીએ ધાર્યું નિશાન ન પડ્યું.
ગોળી ખાલી ગઈ અને બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે થઈ ગયો. તેની નજર માંચડા પર પડી. માંચડા પર શિકારીઓ ને જોતાં તે વીફર્યો. છલાંગ લગાવી માંચડા નજીક પહોંચી ગયો. માંચડાને ભોંયભેગો કરવા તે એને ઝંઝેડવા લાગ્યો. માંચડા પર રહેલા સૌના જીવ તાળવે ચોંટી ગયા. મહારાજામાં પણ ફરી ગોળી છોડવાની સૂધબૂધ ન રહી.
આ કટોકટીની પળે ઝાડ પાછળ સંતાયેલા હરિ અને અરજણ નામના જુવાનિયાં વહારે આવ્યા. તેઓ જીવના જોખમે પણ બહાર ખુલ્લામાં નીકળ્યા. અવાજ કરી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા. થોડે દૂર સાક્ષાત મોત જેવો સિંહ એમના તરફ ફર્યો તે ખિજાયેલો તો હતો જ.
માંચડો હલતો બંધ થયો, મહારાજા હવે શાંત થયા. સિંહની નજર હવે પેલા બે જુવાનિયા તરફ હતી. સિંહ તે તરફ છલાંગ મારવાની તૈયારીમાં જ હતો ને ત્યાં મહારાજાએ ગોળી છોડી. આ વખતે ગોળી નિશાન ન ચૂકી. તે સિંહને વાગી, સિંહ મૃત્ય પામ્યો. આ બધું ખૂબ ઝડપથી બની ગયું. મહારાજા માંચડા પરથી નીચે ઊતર્યા. જો હરિ અને અરજણ હિંમત કરી મદદે ન આવ્યા હોત તો મહારાજા ન બચ્યા હોત.
મહારાજા તે બંને જુવાનિયા પર ખૂબ ખુશ થયા. તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા. મહારાજા તો ઊંચા ગજાના માણસ હતા. જાનના જોખમે મદદ કરનાર બંને મિત્રોની એમણે કદર કરી. તેમને વડોદરા બોલાવી બહુમાન આપ્યું. તેમની કાયમી યાદગીરી રહે તે માટે કમાટીબાગમાં એ બંનેના પૂતળાં ઊભાં કર્યા. તમે હવે વડોદરા જાઓ તો કમાટીબાગની અવશ્ય મુલાકાત લેજો.
બોધ : તમારા જીવનમાં તમને કેટલાય બહાદુર લોકો જોવા મળશે અને તમારે પણ બહાદુર બનવું જોઈએ અને લોકોની મદદ કરવી જોઈએ જેના લીધે તમે બહાદુર બની શકો.
4. મહાત્મા ગાંધી - Mahatma Gandhi Bodh Katha in Gujarati
મહાત્મા ગાાંધીજીની સરળતાની વાતો થોડાક ફકરાઓમા તો ન જ કરી શકાય તેમને સમજવા તો આ એક ભવ પણ ઓછો પડે. એમની સાદગી અને સરળતા તો જગજાહેર છે.
એકવાર શેઠ ગોપાળદાસ પહેલી જ વાર ગાાંધીજીને મળવા સાબરમતી આશ્રમ ગયા. ત્યારે બાપુ એમના ખંડની સફાઈ કરી રહ્યા હતા, કચરો વાળી રહ્યા હતા. શેઠ ગોપાળદાસે અગાઉ કયારેય બાપનુ જોયા પણ નહોતા એટલે તેઓ એમને ઓળખી શક્યા નહિ. બાપુએ એમને બહાર બેસીને મોહનદાસની રાહ જોવા કહ્યું.
થોડા સમય બાદ સફાઈ કરી રહેલ સફાઈ કામદાર બહાર આવ્યા અને પોતાની મોહનદાસ ગાાંધી તરીકેની ઓળખ આપી.
આ હતી આપણા મહાત્મા ગાંધી બાપુની સાદગી અને સરળતા જેના પરથી આપણે ઘણુંબધું શીખવું જોઈએ.
5. બે સગા ભાઈઓ
બે સગા ભાઈઓ હતા.
એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક સફળ બિઝનેસમૅન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી.
ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને.........
........એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો ફર્ક હોવાનું કારણ શું હોઈ શકે ? એટલે એમાંના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા દારૂડિયાએ જવાબ આપ્યો, ‘એ પોતે નશીલી દવાઓના બંધાણી હતા. દારૂ પણ એટલો જ ઢીંચતા. રોજ રાત્રે ઘરે આવીને મારી માને મારતા. અમારામાંથી કોઈક ઝાપટે ચડી જાય તો અમનેય ઢીબી નાખતા. હવે તમે જ કહો ! આવું દષ્ટાંત ઘરમાં હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને ! મારા કિસ્સામાં પણ એમ જ બન્યું !’ પેલા પૂછનારને આ વાત બરાબર લાગી. ત્યાર બાદ એ બીજા ભાઈ પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલાએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયાભાઈને પૂછ્યો હતો કે, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો.
હવે પેલા સવાલ કરનાર માણસને નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે, ‘પરંતુ તમારા પિતાજી તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા. એ તમારી પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે ?’
‘અરે ! એમ જ છે. સાચું કહું છું. એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે.’ પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘જુઓ ! હું નાનો હતો ત્યારથી મારા પિતાજીને નશીલી દવા પીને કે દારૂ પીને ઘરે આવતા જોતો. એ મારી માતાને મારતા કે ઘણી વાર અમારો વારો પણ પાડી દેતા અને એવી દરેક રાત્રે એમને જોઈને હું નક્કી કરતો, અરે ! એમ કહું કે દઢ નિશ્ચય જ કરતો કે આવી જિંદગી તો મારી નહીં જ હોય અને આવો તો હું ક્યારેય નહીં બનું ! અને તમે જુઓ જ છો, એના લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે !’
પૂછવાવાળા માણસને એની વાત પણ બિલકુલ સાચી લાગી !
દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે !
6. વિનમ્રતા
તેણે ઘણાં ગર્વીલા સ્વરે સમુદ્રને કહ્યું, "કહો જોઈએ, તમારા માટે શું તાણી લાવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ જે કંઈ તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ! “
સમુદ્ર ને સમજાઈ ગયું કે નદીને અભિમાન આવી ગયું છે. તેણે નદીને કહ્યું, "જો તું મારા માટે કંઈક લાવવા જ ચાહતી હોય તો થોડું ઘાસ ઉખાડી લાવ."
નદીએ પોતાના જળનું સઘળું જોર અજમાવ્યું. પણ ઘાસ તો ઉખડ્યું જ નહીં! નદીએ અથાગ પ્રયત્નો કર્યાં, પણ વ્યર્થ. આખરે નદી સમુદ્ર પાસે ગઈ અને બોલી, "હું વૃક્ષ, મકાન, પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું છું પણ જ્યારે જ્યારે ઘાસને ઉખાડી લાવવાની કોશિશ કરું છું ત્યારે ત્યારે એ નીચે તરફ ઝૂકી જાય છે અને મારે ખાલી હાથે તેની ઉપરથી પસાર થઈ જવું પડે છે."
સમુદ્રએ નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા હસતા કહ્યું, "જે પહાડ અને વૃક્ષની જેમ કઠોર હોય છે તે આસાનીથી ઉખડી જાય છે પણ ઘાસ જેવી વિનમ્રતા જેણે શીખી લીધી હોય, તેને પ્રચંડ આંધી - તોફાન કે પ્રચંડ વેગ પણ ઉખાડી શકતા નથી. "
જીવનમાં ખુશીનો અર્થ લડાઈઓ લડવી એમાં નથી, બલ્કે એમનાથી બચવામાં છે. કુશળતા પૂર્વક પીછેહઠ પણ ક્યારેક જીતનું કારણ બને છે. અભિમાન ફરીશ્તાઓને પણ શેતાન બનાવી દે છે અને વિનમ્રતા સાધારણ મનુષ્યને પણ ફરીશ્તો બનાવી દે છે.
7. જીવનમાં સંયમનુ મહત્વ
મધની મીઠાશના લોભથી ઘણીખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઇ. મીઠું મીઠું મધ એમને ખુબ જ ભાવતું હતું આથી એ મધ ચાટવા લાગી. મધ ચાટવામાં એવી તો મશગુલ બની ગઇ કે ધીમે ધીમે એની પાંખો મધમાં ચોંટી રહી હતી એનો ખ્યાલ પણ ન રહ્યો. મધથી પુરે પુરુ પેટ ભરાઇ ગયુ અને ઉડવાનો પ્રયાસ કર્યો પણ ઉડી જ ન શકી.
પોતાની જાતને બચાવવા ખુબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઇ બેઠી. અરે આશ્વર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે જુની માખીઓની દુર્દશા જોતી જ હતી આમ છતા પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી.
બોધ પાઠ : જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે. ક્યાં અટકવું એનું પ્રમાણસર ભાન ન હોય તો જીવન બરબાદ થતા બીલકુલ વાર ન લાગે.
