Gujarati motivational story


best motivational stories in gujarati | motivation story gujarati | motivational short story in gujarati | gujarati inspirational story

 બોધદાયક વાર્તા અને પ્રેરણાદાયક વાર્તા


વિશ્વની શ્રેષ્ઠ પ્રેરણાત્મક વાર્તા - બોધ વાર્તા ગુજરાતી ભાષામાં આપેલ છે જે બાળકો તથા દરેક વયના વ્યક્તિનાં જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો માટે ઉપયોગી બને તેવી બોધદાયક વાર્તા અને પ્રેરણાદાયક વાર્તા અહી આપેલ છે.
મિત્રો અમે વિશ્વાસ આપીએ છીએ કે આ પેજ પર આપેલ દરેક વાર્તા અંત્યંત જીવનભરમાં કોઈપણ પ્રકારે ઉપયોગી બનશે. અહી આપેલ પ્રેરણાદાયક વાર્તા pdf , બોધદાયક વાર્તા , જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો , પ્રેરણાદાયક વાર્તા , બોધદાયક વાર્તા pdf  .. વગેરે મુદ્દાઓ શોધી રહ્યા છો જે અહીની વાર્તામાં સાંકળી લેવામાં આવ્યા છે.


ગુજરાતી વાર્તા બોધકથા માટે સૌથી ઉપયોગી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાવ : Click Here



આપેલ વાર્તા એક વાર સમય આપી સંપૂર્ણ વાચો જે ખરેખર તમારા માટે ખૂબ જ ઉપયોગી રહશે.

Gujarati motivational story



વિશ્વની શ્રેષ્ઠ પ્રેરણાત્મક વાર્તા

  1. દેડકાની હરીફાઈ
  2. નિષ્ણાત વ્યક્તિત્વનું મહત્વ
  3. માણસનું વ્યક્તિત્વ
  4. સંઘર્ષ વિના સફળતા નહીં !
  5. ભણતર અને ભાવનું મહત્વ
  6. એક ચપટી પ્રેમ
  7. શબ્દોનાં ઘા
  8. આંધળો દોરે આંધળાને.
  9. સંઘર્ષ વિના સફળતા નહીં !
  10. દુઃખ વેચવાથી અડધું થાય છે.
  11.  પરિવર્તન ની શરૂઆત ખુદ થી કરો
  12. શિષ્યએ ગુરુને કહ્યુ – મને ભગવાનના દર્શન કરવા છે

આ પણ એક વાર જરૂર વાંચજો

✔  ગુજરાતી બોધકથાઓ

✔  ગુજરાતી બાળ વાર્તા


1. દેડકાની હરીફાઈ

~ એકવાર એક સરોવરમાં દેડકાઓ માટે વિશિષ્ટ પ્રકારની હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું. સરોવરની બરાબર વચ્ચે એક વર્ષો જુનો થાંભલો હતો. સતત ઝરમર વરસાદને કારણે આ થાંભલા પર લીલ બાઝી ગઇ હતી અને એકદમ ચીકણો થઇ ગયો હતો. સ્પર્ધા એવી હતી કે દેડકાઓએ આ થાંભલાની ટોચ પર પહોંચવાનું હતું. આ સ્પર્ધામાં ઘણાબધા દેડકાઓએ ભાગ લીધો. હરીફાઇનો દિવસ પણ આવી ગયો. સ્પર્ધામાં ભાગ લેનાર બધા દેડકાઓ થાંભલાની ટોચે પહોંચવા માટે થનગની રહ્યા હતા. દેડકાઓની આ હરીફાઇ જોવા માટે એકત્ર થયેલા બીજા દેડકાઓએ અંદરો અંદર વાતો ચાલું કરી.
  • " આ રેસ જીતવી શક્ય જ નથી."
  • " થાંભલો એટલો ચીકણો થઇ ગયો છે કે ટોચ પર કોઇ નહી પહોંચી શકે "
  • " જો થોડે ઉંચે જઇને નીચે પડશે તો તો રામ રમી જાશે "

ભાગ લેનારા દેડકાઓ આ સાંભળી રહ્યા હતા આવી વાતો સાંભળીને થોડાએ તો રેસમાં ભાગ લેવાનું માંડી જ વાળ્યું. જેઁમણે ભાગ લીધો એ પણ જ્યાં થોડું ચઢ્યા ત્યાં તો અત્યંત ચીકણા થાંભલાને કારણે નીચે પડ્યા. એકત્ર થયેલા દેડકાઓ સહીતના બધાજ પ્રાણીઓ કહેવા લાગ્યા કે જુવો અમે કહેતા જ હતા કે આ શક્ય નથી તો પણ ચડ્યા તો પડ્યાને હેઠા. કેટલાકે એકાદ વધુ પ્રયાસ પણ કરી જોયો પણ એમાં સફળતા ના મળતા ચઢ્વાનું માંડી વાળ્યું. 

એક નાનો દેડકો વારે વારે નીચે પડવા છતા ઉપર ચડવાના પ્રયાસો કરી રહ્યો હતો. એકત્ર થયેલા બધા એને બરાડા પાડીને ઉપર ન ચડવા સમજાવી રહ્યા હતા. પણ પેલો દેડકો સતત પ્રયાસ કરતો રહ્યો અને અનેક વખત નીચે પડવા છતા એણે ચાલું રાખેલા પ્રયાસોના કારણે એ થાંભલાની ટોચ પર પહોંચી ગયો અને રેસ જીતી ગયો.

જ્યારે એને શિલ્ડ આપવામાં આવ્યુ ત્યારે એની માં પણ ત્યાં હાજર હતી પત્રકારોએ એની માને પુછ્યુ કે વારંવાર નિષ્ફળ જવા છતા એ ઉપર ચડવાના પ્રયાસ કરતો હતો ત્યારે એકત્ર થયેલા બધાના સમજાવવા છતા એ કેમ કોઇની વાત માનતો નહોતો ? દેડકાની માં એ હસતા હસતા કહ્યુ કે એ ક્યાંથી કોઇનું માને કારણકે એ તો બેરો છે એને કંઇ સંભળાતું જ નથી.

બોધ : મિત્રો, કોઇ કાર્ય હાથમાં લઇએ ત્યારે નિષ્ફળતાનો ડર બતાવનારા અનેક માણસો તમને મળશે અને જો એકાદ નાની નિષ્ફળતા મળે તો આપણે એની વાત સાચી પણ માની લઇશું પણ જે આ દેડકાની જેમ બેરા બની જાય અને કોઇનું કંઇ સાંભળ્યા વગર સતત પ્રયાસ કરતા રહે તો વિજેતાનું ઇનામ વિધાતાએ એના માટે તૈયાર જ રાખ્યું હોય છે.



2. નિષ્ણાત વ્યક્તિત્વનું મહત્વ


એક બહુ મોટી કંપનીના ઉત્પાદન વિભાગમાં કાર્યરત એક મશીન કોઇ ટેકનિકલ ખામીને કારણે બંધ થઇ ગયુ. મશીન બંધ થવાના કારણે કંપનીનું ઉત્પાદન કાર્ય અટકી ગયુ જેના પરિણામે કંપનીને દર કલાકે ખુબ મોટુ નુકસાન થવા લાગ્યુ. કંપનીની નિષ્ણાંત ઇજનેરોની ટીમ કામે વળગી પણ કોઇ રીતે આ મશીન ચાલુ થતું ન હતું.

કંપનીના સંચાલકોએ નુકસાન અટકાવવા માટે એક ટેકનિકલ સલાહકારની મદદ લેવાનું નક્કી કર્યુ. ટેકનિકલ સલાહકારને કંપની પર બોલાવવામાં આવ્યા અને બંધ પડેલુ મશીન એમને બતાવવામાં આવ્યું. ટેકનિકલ સલાહકારે ધ્યાનથી મશીનનું નિરિક્ષણ કર્યુ. એકાદ-બે વખત મશીનને ચાલુ-બંધ કરાવ્યુ અને પછી એક નાની હથોડી મંગાવી. હથોડી આવી એટલે એ હાથમાં લઇને મશીનના એક ખાસ ભાગ પર હથોડીનો હળવો ઘા માર્યો અને પછી મશીન ચાલુ કરવાનું કહ્યુ. બધાના આશ્વર્ય વચ્ચે મશીન ચાલુ થઇ ગયુ.

બીજા દિવસે ટેકનિકલ સલાહકારની ઓફિસમાંથી એમની ફી નું બીલ આવ્યુ. બીલ જોઇને સંચાલકો સહિત બધાને આશ્વર્ય થયુ કારણકે માત્ર એક હથોડી મારવાનું બીલ 1000 ડોલર મોકલવામાં આવ્યુ હતું. કંપનીએ સામો પત્ર લખ્યો અને પુછાવ્યુ કે માત્ર હથોડીનો એક ટપોરો મારવાની ફી આટલી મોટી કેમ ?

ટેકનિકલ સલાહકારની ઓફિસમાંથી જવાબ આવ્યો “ હથોડીનો ટપોરો મારવાની ફી તો માત્ર એક ડોલર જ છે ટપોરો મારવાનું કામ તો કોઇ મજૂર પણ કરી શકતો હતો પરંતું એ એક ટપોરો ક્યાં મારવો એ નક્કી કરવાની ફી 999 ડોલર છે.”

વિશ્વમાં ગમે તેવી મંદી ભલે હોય તો પણ નિષ્ણાંતોની કાયમ તંગી જ રહેવાની છે. જે ક્ષેત્રમાં હોઇએ એ ક્ષેત્રમાં નિષ્ણાંત બનીએ તો એક ડોલર વાળુ કામ કરવાની જરુર નહી પડે 999 ડોલર વાળુ કામ કરાવવા જગત સામે ચાલીને આપણી પાસે આવશે.


3. માણસનું વ્યક્તિત્વ


સ્વામી રામતિર્થ એકવાર જાપાન ગયા. ત્યાં જાપાનના સમ્રાટનો બાગ જોવા માટે ગયા ત્યારે એમને આશ્વર્ય થયુ કે 100 વર્ષ જુના વૃક્ષોની ઉંચાઇ માંડ થોડા ફુટની જ હતી. રામતિર્થ વિચારવા લાગ્યા કે આવું કેમ બને 100 વર્ષ જુનુ પુરાણું વૃક્ષ તો કેવુ મહાકાય હોય! આ તો કદમાં સાવ નાના છોડ જેવા જ લાગે છે.

સ્વામીજીએ કુતુહલવશ આ વાત માળીને પુછી કે આ વૃક્ષો આટલા જુના હોવા છતા એની ઉંચાઇ કેમ સાવ ઓછી છે ? માળીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે એ હસવા લાગ્યો અને એણે પ્રતિઉતરમાં કહ્યુ કે મને એવુ લાગે છે કે આપને વૃક્ષોની બાબતમાં કોઇ વિશેષ જ્ઞાન નથી.

આગળ બોલતા માળીએ સમજાવ્યુ કે આપ માત્ર વૃક્ષને જુવો છો જ્યારે અમે તો એ વૃક્ષના મુળને જોઇએ છીએ. અમે મુળને વધવા જ નથી દેતા. સતત મુળને નીચીથી કાપ્યા કરીએ છીએ. અને મુળ કપાવાને કારણે વૃક્ષો ઉપર વધી શકતા નથી.

મુળ જેટલા ઉંડા જાય વૃક્ષ એટલુ મોટું થાય આમ વાસ્તવમાં વૃક્ષોનો પ્રાણ ઉપર નહી જમીનની નીચે રહેલા મુળમાં હોય છે.

આપણા બધાની પણ આ જ હાલત છે આપણને લોકોનું બાહ્ય વ્યક્તિત્વ અને આચરણ દેખાય છે પરંતું તેના વિચારો દેખાતા નથી. વાસ્તવમાં એના આચરણના મુળ એના વિચારમાં જ હોય છે. આપણે આપણા સદવિચારો પર એવો કુઠારાઘાત કર્યો છે કે જીવનવૃક્ષ સાવ સંકોચાઇને નાના છોડ જેવું બની ગયુ છે.


4. સંઘર્ષ વિના સફળતા નહીં !

જીવશાસ્ત્રના એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એક ઈયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે, તે સમજાવતા હતા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે હવે થોડા જ કલાકોમાં પતંગિયું પોતાના કોશેટામાંથી બહાર આવવા મથશે, પરંતુ કોઈએ એને કશી મદદ કરવાની નથી. આટલું કહીને એ બહાર ગયા. આ બાજુ વિદ્યાર્થીઓ રાહ જોતા રહ્યા અને છેવટે ન થવાનું જ થયું. પતંગિયું કોશેટામાંથી બહાર આ...વવા તરફડતું હતું અને એક વિદ્યાર્થીને એની દયા આવી ગઈ અને શિક્ષકની આજ્ઞાને અવગણીને પતંગિયાને મદદ કરવાનું એણે નક્કી કર્યું. એણે પેલા કોશેટાને જ તોડી નાંખ્યું, જેથી પતંગિયાને ઝાઝો સંઘર્ષ ન કરવો પડે. પરંતુ થોડા જ વખતમાં પતંગિયું તો મરી ગયું.

શિક્ષક પાછા આવ્યા ત્યારે એમણે હકીકત જાણી. એમણે પેલા વિદ્યાર્થીને સમજાવ્યું કે પતંગિયાને મદદ કરવા જઈને જ એણે એને મારી નાંખ્યું હતું, કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે પતંગિયાને જે મથામણ કરવી પડે છે, તેના પરિણામે એની પાંખો મજબૂત થાય છે. એ છોકરાએ પતંગિયાને સંઘર્ષમુક્ત કર્યું અને પતંગિયું મરણશરણ થયું. આ કિસ્સાનો બોધપાઠ શીખીએ. જીવનમાં કશું જ મૂલ્યવાન સંઘર્ષ વગર મળતું નથી. માબાપ તરીકે આપણે ઘણીવાર બાળકોને અનુભવનું બળ મેળવવા જરૂરી સંઘર્ષ કરવામાંથી વંચિત રાખીએ છીએ, પણ એથી તો તેમનો વિકાસ રૂંધાય છે.


5. ભણતર અને ભાવનું મહત્વ


એક મંદિર હતું.
એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.
આરતી વાળો, પુજા કરવાવાળો માણસ, ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો.

ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં.આ માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસ ના ભાવ નાં પણ દર્શન કરતા. એની પણ વાહ વાહ થતી...

એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયું, અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યું, કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને છુટા કરી દો.

પેલા ઘંટ વગાડવાવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે 'તમારો આજ સુધીનો પગાર લઈ લો, ને હવેથી તમે નોકરી પર આવતા નહીં.'

પેલાએ કહ્યું, "સાહેબ ભલે ભણતર નથી, પરંતુ મારો ભાવ જુઓ!"

ટ્રસ્ટી કહે, "સાંભળી લો, તમે ભણેલા નથી, એટલે નોકરી માં રાખવામાં આવશે નહીં..."

બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પહેલા જેવી મજા આવતી નહી. ઘંટ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી. 

થોડાં લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે 'તમે મંદિરમાં આવો.'

એ ભાઈએ જવાબ આપ્યો, "હું આવીશ તો ટ્રસ્ટી ને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે. માટે હું આવી શકીશ નહીં."

ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે 'મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ. ત્યાં તમારે બેસવાનું અને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરુર છે..."

હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એક માંથી સાત દુકાન ને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ.

હવે એ માણસ મર્સીડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો.

સમય વિત્યો. આ વાત જુની થઈ ગઈ. 

મંદિરનુ ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું.

નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરુર હતી. 

મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે સહુ પહેલાં આ મંદિરની સામેની ફેક્ટરી માલીક ને પહેલા વાત કરીએ...

ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા. સાત લાખ નો ખર્ચો છે, એવું જણાવ્યું.

ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કહ્યું, "સાહેબ સહીં તો બાકી છે."

માલિક કહે, "મને સહીં કરતા નથી આવડતું. લાવો અંગુઠો મારી આપું, ચાલી જશે..."

આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, "સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. જો ભણેલા હોત તો ક્યાં હોત...!!!"

તો પેલા શેઠે હસીને કહ્યું,
"ભાઇ, હું ભણેલો હોત ને, તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત."

સારાંશ :
કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે. ભાવનાઓ શુદ્ધ હશેને, તો ઇશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારો સાથ આપશે.

6. એક ચપટી પ્રેમ


રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. જયારે પણ માં જમવાનું બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે. દરેક વખતે જયારે મમ્મી જમવાનું બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યું કે જરૂર આ ડબ્બામાં એવું કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઇ જઈ છે. માં તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવું કહેતા પણ સાંભળ્યું હતું કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો.

એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિંમત કરીને કહ્યું કે કોઈ વાંધો નહિ, હવે મમ્મી આરામ કરશે અને જમવાનું પોતે બનાવશે. જયારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યું કે માંની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયું તો ડબ્બામાં કશુ જ નહોતું. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી.

રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે – બેટા તું જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી… કેટલી સારી વાત છે ને કે તમારા દરેક કામમાં થોડો પ્રેમ સમાય જાય તો તે સામી વ્યક્તિને જરૂર પ્રભાવિત કરે છે. પ્રેમ દરેક દર્દ ની દવા પણ છે.


7. શબ્દોનાં ઘા


એક છોકરો હતો જેની ઉંમર હશે 13 કે 14 વરસની. પણ મગજ ખૂબ જ તેજ, વાતવાતમાં ગુસ્સે થઈ જાય, તોડ-ફોડ શરૂ કરી દે, વસ્તુઓ ફેંકે, બરાડા પાડવા માંડે, કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે. માબાપ બિચારા હેરાન-પરેશાન થઈ ગયેલા. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો. અરે, શિક્ષા પણ કરી જોઈ. પણ પથ્થર પર પાણી. પેલા છોકરામાં કોઈ જાતનો ફરક જ નહીં ! 

તેનાથી કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો. પણ પરિણામ મીંડું ! છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી. પછી કહ્યું કે જ્યારે જ્યારે એને ગુસ્સો આવે ત્યારે ત્યારે એણે ઘરની વંડીની દીવાલમાં એક ખીલો ઠોકવો.


પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38 ખીલા ઠબકારી દીધા ! જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દીવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે. આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં.

એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન માર્યો ! એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે ‘પિતાજી ! આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દીવાલમાં એક પણ ખીલો નથી માર્યો.’

બાપ કહે : ‘ખૂબ જ સરસ બેટા ! હવે એક કામ કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો.’ બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક ખીલો કાઢવાનું શરૂ કર્યું. 

જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે. બાપે દીકરાને ગળે વળગાડ્યો. એને ખૂબ જ આનંદ થયો. પછી તેનો હાથ પકડીને દીવાલ પાસે લઈ ગયો. એણે કહ્યું : ‘બેટા ! તેં ઉત્તમ અને અદ્દભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું ધ્યેય પૂરું થયું. પણ આ દીવાલ સામે તેં જોયું ? એમાં પડી ગયેલાં કાણાં જોયાં ? એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે.

તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. ‘માફ કરી દો’ એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘા ને ભૂલી શકે પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો.

તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે.


8. આંધળો દોરે આંધળાને.


એક જાણીતા ધનવાન સમાજસેવક સલૂનમાં દાઢી કરાવી રહ્યા હતા. ત્યાં રોક્કળ કરતો એક ધોબી નીકળ્યો. એ મોટે મોટેથી રડીને કલ્પાંત કરતો હતો. સમાજસેવકે પૂછ્યું, “શું થયું ભાઈ! કેમ આવું કાળું કલ્પાંત કરે છે?” ધોબી ઊભો રહ્યો અને રડતાં રડતાં જ બોલ્યો, “ગંધર્વસેનનું મૃત્યું થયું છે.” ધનવાને પૂછ્યું “કોણ ગંધર્વસેન..?”

ધોબીને ઊભા રહેવાનીય ફુરસદ નહોતી. એણે તો એટલું જ કહ્યું, “ગંધર્વસેનના મારા પર બહુ મોટા ઉપકાર હતા. એના વગર હવે હું શું કરીશ? મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું.” રડતો રડતો ધોબી ચાલતો થયો. સમાજસેવકને લાગ્યું કે ગંધર્વસેન મોટા પરોપકારી સંત હોવા જોઈએ. તેમણે હજામને કહ્યું કે ગંધર્વસેનના શોકમાં મારું માથું બોડી નાખ. બીજા ગ્રાહકોએ વાત સાંભળી. તેમણે વાત ફેલાવી.

બોડાવેલા માથે સમાજસેવક જતા હતા ત્યાં સામે રાજ્યના પોલીસવડા મળ્યા. તેમણે સમાજસેવકને માથું બોડાવવાનું કારણ પૂછ્યું. સમાજસેવકે જણાવ્યું કે સંત ગંધર્વસેન દેવ થઈ ગયા. પોલીસવડાને થયું કે માનવંતા સમાજસેવકે માથું બોડાવ્યું છે તો તેમણે પણ તેમનું અનુસરણ કરવું જોઈએ, તેમણે પણ માથું બોડાવ્યું.

પોલીસવડાનું માથું બોડાવેલું જોઈને રાજાએ ગંભીરતાથી પૂછ્યું, “કોનું અવસાન થયું છે?” પોલીસવડાએ એટલી જ ગંભીરતાથી જણાવ્યું, “મહારાજ, મહાન સંત ગંધર્વસેન દેવ થઈ ગયા છે.” રાજાએ તરત રાજ્યમાં શોક જાહેર કર્યો. રાજમહેલ પરનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો હુકમ કર્યો. રાણીવાસમાંથી મહારાણી બહાર આવ્યા. તેમણે બધે શોકનું સામ્રાજ્ય જોયું. મહેલનો ધ્વજ અડધી કાઠીએ ફરકતો જોયો. તેમણે રાજાને પૂછ્યું, “મહારાજ, શા કારણે આ શોક પાળવામાં આવી રહ્યો છે..?” મહારાજે કહ્યું, “મહાન પૂજ્ય સંત ગંધર્વસેન દેવ થયા છે. તેને કારણે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે.” 

મહારાણી એ પૂછ્યું, “ગંધર્વસેન કોણ હતા..? ક્યા આશ્રમ કે તીર્થમાં વસતા હતા?” રાજાને ખબર નહોતી. તેમણે પોલીસવડાને પૂછ્યું, તેમને પણ ખબર નહોતી. એમણે કહ્યું, “એ તો સમાજસેવકશ્રી જાણે.” સમાજસેવકને બોલાવ્યા. તેમને પણ ખબર નહોતી. તેમણે ધોબીનો હવાલો આપ્યો. ધોબીએ આવીને કહ્યું, “મહારાજ, ગંધર્વસેન મારો ગધેડો હતો. તે જ મારાં કપડાં લાવવા-લઈ જવાની ફેરી કરતો હતો. એના વગર મારું કામ અટકી પડશે એટલે હું કલ્પાંત કરતો હતો.”

જગતમાં બધાં આવી રીતે એકની પાછળ બીજો એમ આંધળું અનુકરણ કરે છે. આંધળો આંધળાને દોરે છે. વિચારશીલ માણસ અંધ અનુકરણ કરવાને બદલે પ્રશ્ન કરે છે, વિચારે છે, ચિંતન કરે છે. એ જ માર્ગે સાચું જ્ઞાન મળે છે.


9. સંઘર્ષ વિના સફળતા નહીં !


જીવશાસ્ત્રના એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એક ઈયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે, તે સમજાવતા હતા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે હવે થોડા જ કલાકોમાં પતંગિયું પોતાના કોશેટામાંથી બહાર આવવા મથશે, પરંતુ કોઈએ એને કશી મદદ કરવાની નથી. આટલું કહીને એ બહાર ગયા. આ બાજુ વિદ્યાર્થીઓ રાહ જોતા રહ્યા અને છેવટે ન થવાનું જ થયું. પતંગિયું કોશેટામાંથી બહાર આ...વવા તરફડતું હતું અને એક વિદ્યાર્થીને એની દયા આવી ગઈ અને શિક્ષકની આજ્ઞાને અવગણીને પતંગિયાને મદદ કરવાનું એણે નક્કી કર્યું. એણે પેલા કોશેટાને જ તોડી નાંખ્યું, જેથી પતંગિયાને ઝાઝો સંઘર્ષ ન કરવો પડે. પરંતુ થોડા જ વખતમાં પતંગિયું તો મરી ગયું.

શિક્ષક પાછા આવ્યા ત્યારે એમણે હકીકત જાણી. એમણે પેલા વિદ્યાર્થીને સમજાવ્યું કે પતંગિયાને મદદ કરવા જઈને જ એણે એને મારી નાંખ્યું હતું, કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે પતંગિયાને જે મથામણ કરવી પડે છે, તેના પરિણામે એની પાંખો મજબૂત થાય છે. એ છોકરાએ પતંગિયાને સંઘર્ષમુક્ત કર્યું અને પતંગિયું મરણશરણ થયું. આ કિસ્સાનો બોધપાઠ શીખીએ. જીવનમાં કશું જ મૂલ્યવાન સંઘર્ષ વગર મળતું નથી. માબાપ તરીકે આપણે ઘણીવાર બાળકોને અનુભવનું બળ મેળવવા જરૂરી સંઘર્ષ કરવામાંથી વંચિત રાખીએ છીએ, પણ એથી તો તેમનો વિકાસ રૂંધાય છે.


10. દુઃખ વેચવાથી અડધું થાય છે.


બે પુરુષો ગંભીરપણે બીમાર હતા,અને બેઉને એક જ રુમમાં રાખ્યા હતાં.

એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગ માં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી.

રૂમમાં ફક્ત એકજ બારી હતી અને તેની પાસે આ ભાઇનો પલંગ હતો.

જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઇને સૂતાં જ રહેવું પડતું.

આ બન્ને કલાકો સુધી વાતો કર્યા કરતા.તેઓ તેમના પત્ની, પરિવાર, ઘર, નોકરી, તેઓ વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે વાતો કરતાં ..

દરરોજ બપોરે, જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે બેઠા બેઠા બીજાં દર્દી ને બારીની બહારની દુનિયાં નું વર્ણન કરતાં સમય પસાર કરતો. બપોરનો આ એક કલાક બીજા માણસ માટે જાણે જીવંત બની જતો અને તેની દુનિયા હોસ્પિટલનાં રૂમ સુધી સિમિત ન રહેતા બહારનાં વિશ્વ સુધી પહોંચતી…

“બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવ છે. તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ રંગના ફુલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ આકાશનું નયનરમ્ય દ્શ્ય નજરે ચડે છે…” પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે બીજો માણસ પોતાની આંખો બંધ કરીને કલ્પનામાં આ બધુ નિહાળતો.

એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર થતી પરેડનું વર્ણન કર્યુ જોકે બીજા માણસને પરેડ બેન્ડનો અવાજ સંભળાતો નહોતો પરંતુ તે પોતાની કલ્પનામાં આ દ્શ્ય જોઇ શકતો હતો.

આ રીતે દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા….

એક દિવસ સવારે,નર્સ તેમના સ્નાન માટે પાણી લાવ્યા અને જોયું તો પહેલી વ્યક્તિ ચિર નિદ્રામાં પોઢી ગઇ હતી પલંગ પર ફક્ત તેનું ફક્ત નિર્જીવ શરીર પડ્યું હતું.

નર્સને અત્યંત દુખ થયું અને હોસ્પિટલ એટેન્ડન્ટ્સને બોલાવી શરીર લઇ જવા માટે કહેવામાં આવ્યુ.

બારી પાસેનો પલંગ ખાલી પડયો!

થોડા દિવસો પછી…બીજા વ્યક્તિએ પોતાને બારી પાસેનાં પલંગ પર ખસેડવાની ઇચ્છા વ્યક્ત કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતાં રહ્યા.

હવે આ વ્યક્તિ એ ધીમે ધીમે, થોડું કષ્ટ કરીને, બારી પાસે બેઠાં થવાની કોશિશ કરી. એક હાથની કોણી કોણી ટેકવી તેમણે બહારની વાસ્તવિક દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર ફેરવી અને જોયું તો શું ?

બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કઇ સમજાયું નહીં. તેણે નર્સને પુછ્યું પહેલો વ્યક્તિ શા માટે બારીની બહાર અદ્ભુત વસ્તુઓનું વર્ણન્ કરતો? – જ્યારે અહીં તો ખાલી દિવાલ જ છે!

નર્સે કહ્યું “પેલો માણસ અંધ હતો અને આ દિવાલ પણ જોઈ ન શકતો, તે તો ફક્ત તમને પ્રોત્સાહિત કરવા માગતો હતો!”

બોધ :
બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય! દુઃખ વહેંચવાથી અડધુ થાય છે, અને સુખ વહેંચવાથી બમણું થાય છે. તમને સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને પૈસાથી ખરીદી નથી શકાતી !


11. પરિવર્તન ની શરૂઆત ખુદ થી કરો


ઘણા વખત પેલાં, એક મોટા રાજ્ય માં એક ચોર ચોરી કરતો હતો. પાંચ સૈનિક એના પાછળ ભાગ્યા. ચોર દૂર એક ખાડા માં સંતાઈ ગયો. પરંતુ સૈનિક એના ખાડા ના આગળ-પાછળ નજર રાખવા માંડ્યા.

બહુ વાર પછી, સૈનિકો કંટાળી ને બીજી દિશામાં ચોર ને શોધવા દોડી ગયા. હવે, ચોર ને ભૂખ લાગવા મંડી એટલે એ પણ સાવધાની થી નિકળી ને ભાગ્યો. ભાગતા ભાગતા તે કે સાધુ ના આશ્રમ માં આવ્યો, જીવ બચાવવા માટે તેણે નક્કી કર્યું કે થોડા દિવસો સુધી તે આ આશ્રમ માં રહેશે. તે સાધુઓ ના વસ્ત્ર પેરી ને ત્યાં જ રહેવા લાગ્યો. સૈનિકો દિવસો સુધી ચોર ને શોધતા રહ્યા પણ સાધુઓ વચ્ચે રહેતા આ ચોર ને ઓળખી ના શક્યા.

હવે, આશ્રમ માં એ ચોર ને બધાં સાધુ ઓ બહુ પ્રેમથી અને આદર થી રાખતા. તેની ઘણી દેખભાળ થઈ. તે હવે પૂજાપાઠ માં અને ભગવાનની કથાઓ માં રસ લેવા લાગ્યો. તેને ભગવાન ના નામનો જપ કરવામાં બહુ જ આનંદ આવવા લાગ્યો અને જીવન સંપૂર્ણ લાગવા લાગ્યું. વર્ષોથી ચોરી કરતો આ માણસ ને આશ્ચર્ય એ વાતનું થતું કે તેનું મન પણ હરી ના નામ માં મગ્ન થઈ ગયું.

ઘણા દિવસો પછી, રાજ્ય ના મહારાજ આયા. તેમણે બહુ વિનમ્રતા થી નિવેદન કર્યું કે ૧૦૦ સાધુઓ તેના રાજમહલ માં જમવા આવે અને આ નિમંત્રણ નો સ્વીકાર કરીને તેને ધન્ય કરે. ઘણા સમ્માન થી બધા સાધુઓ ને મહેલ માં બોલાવી ને તેમને જમાડ્યા. 

મિત્રો, આ ૧૦૦ સાધુઓ માંથી એક સાધુ પેલો ચોર હતો. જમતા જમતા એ ચોરે વિચાર્યું કે જે સૈનિકો તેને પકડીને જેલમાં નાખવા માટે દિવસરાત તેનો પીછો કરતાં હતા એ જ સૈનિકો આજે તેને સન્માનપૂર્વક જમાડી રહ્યા હતા.

સાધુ જીવન જીવતા આ ચોરે ઊંડો વિચાર કર્યો કે તેના કર્મ બદલતા જ તેનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું. તેણે જીવનભર ચોરી ન કરવાનો સંકલ્પ લીધો.

બોધ : જેવા વ્યક્તિના કર્મ તેવા તેના ફળ.


12. શિષ્યએ ગુરુને કહ્યુ – ભગવાનના દર્શન કરવા છે


એક પ્રસિદ્ધ ગુરુ પોતાના શિષ્યોની સાથે આશ્રમમાં રહેતા હતા . તેમાંથી એક શિષ્ય ઈશ્વરને મેળવવા ઈચ્છતો હતો. તે જાણતો હતો કે ગુરુના જ્ઞાન વિના આ શક્ય નથી. એક દિવસ તે શિષ્ય પોતાના ગુરુ પાસે ગયો અને બોલ્યો કે હું ઈશ્વરના દર્શન કરવા ઈચ્છુ છું. ગુરુએ તે યુવકની તરફ જોયું , એક શબ્દ પણ ન બોલ્યા અને હસવા લાગ્યા. તે શિષ્ય દરરોજ પોતાના ગુરુ પાસે આવતો અને આ વાત કહેતો.

એક દિવસ જ્યારે તે શિષ્ય ફરી પોતાના ગુરુ પાસે ગયો તો ગુરુએ તેને પોતાની સાથે નદી લઈને ગયા અને કહ્યુ કે આ નદીમાં સ્નાન કર. હું તને ઈશ્વરના દર્શન કરાવું છું. ગુરુની વાત સાંભળીને શિષ્ય ખૂબ પ્રસન્ન થયો અને નદીમાં સ્નાન કરવા લાગ્યો.

જ્યારે તે શિષ્ય સ્નાન કરી રહ્યો હતો ત્યારે ગુરુએ પાછળ જઈને તેનું માથું પાણીમાં ડુબાવી દીધુ . શિષ્ય બહાર આવવા માટે તડપવા લાગ્યો . થોડી વાર પછી ગુરુએ તેને પાણીની બહાર કાઢ્યો . શિષ્ય પોતાના ગુરુ ઉપર ખૂબ નારાજ થયો અને તેનું કારણ પૂછવા લાગ્યો. ત્યારે ગુરુએ શિષ્યને પૂછ્યું કે જ્યારે તું પાણીની અંદર હતો , ત્યારે તારી એકમાત્ર ઈચ્છા શું હતી ? શિષ્યએ જવાબ આપ્યો , માત્ર એક શ્વાસ.

ત્યારે ગુરુએ કહ્યુ શું તારી ઈશ્વરને મેળવવાની ઈચ્છા પણ આટલી જ તીવ્ર છે જો હા તો તે એક ક્ષણમાં જ મળી જશે. જ્યાં સુધી તારા મનમાં ઈશ્વરને મેળવવાની ઈચ્છા આટલી તીવ્ર નહીં હોય ત્યાં સુધી તે તને નહીં મળી શકે.

બોધ : જો આપણે જીવનમાં કંઈક મેળવવા ઈચ્છીએ છીએ તો આપણે બધુ જ ભૂલીને માત્ર પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત હોવું જોઈએ . ત્યારે આપણે તેને પ્રાપ્ત કરી શકીશું . લક્ષ્ય પ્રાપ્ત કરવું આપણાં માટે જીવન - મરણના સમાન હોવું જોઈએ.