સુવિચાર નવા ગુજરાતી

gujarati suvichar

સુવિચાર એટલે - સારા વિચાર

કેમ છો વાહલા મિત્રો  ! ... જો તમે ગુજરાતી સુવિચાર શોધી રહ્યા છો ? તો તમે ખરેખર યોગ્ય પેજ પર આવ્યા છો. અહી અમે તમને સુવિચારોનો ખજાનો આપી રહ્યા છીએ જે તમે કોપી અને શેર પણ કરી શકશો.

gujarati suvichar - સુવિચાર નવા ગુજરાતી


અહી સુવિચારો દસ-દસનાં ગ્રુપમાં આપેલ છે જે સુવિચાર નાના - ટૂંકા અને પ્રેરણાત્મક છે. જેમાં નીચે મુજબ દરેક વિષય આવરી લેવામાં આવેલ છે.

ટૂંકા સુવિચાર | નાના સુવિચાર ગુજરાતી | જ્ઞાન સુવિચાર | જીવન ગુજરાતી સુવિચાર | ગુજરાતી સુવિચાર શાળા માટે | ગુજરાતી સુવિચાર અર્થ સાથે | suvichar gujarati | suvichar in gujarati | best suvichar in gujarati |  gujarati suvichar for students | good morning suvichar in gujarati | life suvichar gujarati |  latest suvichar gujarati | gujarati suvichar on life | suvakya gujarati | gujarati suvakya |  Best suvichar in Gujarati | gujarati suvichar | suvichar gujarati | suvichar in gujarati | best suvichar in gujarati | gujarati suvichar for students |  good morning suvichar in gujarati | life suvichar gujarati | latest suvichar gujarati | sambandh suvichar gujarati | suvakya gujarati | gujrati suvichar on life | gujarati suvakya

suvichar in gujarati

  • જીવનમાં જે ચૂકી ગયા હોઈએ તે આપવા માટે ભગવાન જે મોકલે તેનું નામ તક. 
  • સફળતા ગુમાવી દેવાનું નિશ્ચિત કારણ કોઈ હોય તો તે છે તક ગુમાવી દેવી.
  • તર્ક લડાવ્યા કરે તે બુદ્ધિવાદી અને તક ઝડપી લે તે બુદ્ધિશાળી.
  • દરેક સમસ્યાની પેલે પાર કોઈ તક રાહ જોઈને ઊભી જ હોય છે.
  • દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.
  • હાસ્ય અને આંસુ સાથે આવે એ ક્ષણ સૌથી ઉત્તમ હોય છે.
  • ક્રોધ સામેનું શ્રેષ્ઠ હથિયાર મૌન છે.
  • જે આપણે "નથી' તે "છીએ" એમ દેખાડવાનો દેખાવ કરવો તે દુઃખી થવાનો માર્ગ છે.
  • પ્રગતિ માટે પરિવર્તન જરૂરી છે.
  • જે કામ તમે આજે કરી શકો છો તે કાલ પર છોડો નહિ.

best suvichar in gujarati

  • જરૂરિયાત વિશે લાંબો વિચાર કરશો તો મોટાભાગની જરૂરિયાત જરૂરી નહિ લાગે.
  • આયોજનનો અભાવ એ "નિષ્ફળતા' નું આયોજન છે.
  • જયારે દ્વિધામાં હો ત્યારે સત્ય બોલો.
  • જેને પોતાનામાં વિશ્વાસ છે તે જ બીજાઓનો વિશ્વસનીય બની શકે છે.
  • જે એકલો પ્રવાસ કરે છે તેની ઝડપ સૌથી વધારે હોય છે.
  • કજિયો એ દુર્બળનું હથિયાર છે.
  • બીજાનું દુઃખ જોઈને આપણને પણ દુઃખ અનુભવાય તેનું નામ 'કરૂણા''.
  • ક્રોધ ક્ષણજીવી હોય છે, પણ તે જે નુકશાન કરે છે તે ચિરંજીવી હોય છે.
  • આળસુ માણસ હંમેશા દેવાદાર બને છે અને બીજાને માટે ભારરૂપ બને છે.
  • જયારે ક્રોધ આવે ત્યારે તેના પરિણામનો હંમેશા વિચાર કરો.

latest suvichar gujarati

  • ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.
  • ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે.
  • આપણી ચિંતાઓ હંમેશા આપણી કમજોરીઓને કારણે જ હોય છે.
  • ચિંતાથી રૂપ,બળ અને જ્ઞાનનો નાશ થાય છે.
  • બીજાની આંખમાંથી વહેતા આંસુ લૂછવાનો પ્રયત્ન કરવો એ જ ખરી કીર્તિ છે.
  • ક્ષમા અસમર્થ માનવીનું લક્ષણ અને સમર્થ માનવીનું આભૂષણ છે.
  • સત્કર્મનો ભાવ નાનામાં નાના કાર્યને પણ ઉમદા બનાવી દે છે. 
  • ગુણ અને જ્ઞાનનો સદુપયોગ આત્મવિકાસમાં પરિણમે છે.
  • દરેક માટે દયાળું બનો, પરંતુ પોતાનાં માટે કઠોર રહો.
  • વિશ્વનાં નિર્માણમાં જે સ્થાન જળનું છે,તેવું સ્થાન જીવનમાં મૈત્રીનું છે.

સુવિચાર ગુજરાતી

  • સમાજમાં રહેતા દાનવ ત્યારે જ મરી શકે,જયારે માનવ ખરા અર્થમાં માનવ બને.
  • નિષ્ફળતા મળે કે પાછા પડો ત્યારે પણ ઊંચા વિચારો કરો.
  • તમે જીવનમાં સદગુણો અપનાવશો તો એ જ સદગુણો તમારી ૨ક્ષા કરશે.
  • પવિત્ર વિચારોનું સદા મનન કરો અને હલકા સંસ્કારોને દૂર કરવા.
  • મુહૂર્ત નહિ,પણ મહેનત પર ભાર મૂકો.
  • શકિતનો ગર્વ નહિ યોગ્ય ઉપયોગ કરો.
  • સદ્ગૃહસ્થ તરીકે જન્મવું તે અકસ્માત છે,જયારે સગૃહસ્થ તરીકે મરવું તે એક સિદ્ધિ છે.
  • સારા સમયમાં મિત્રો આપણને ઓળખે અને નબળા સમયમાં મિત્રોને આપણે ઓળખતા થઈએ છીએ.
  • બધા મનુષ્યો વિરલા બની શકતા નથી, પરંતુ સજ્જન તો હર કોઈ બની શકે છે.
  • પડવામાં નાનપ નથી,પણ પડયા રહેવામાં નાનપ છે.

સુવિચાર નવા

  • સુખ એટલે હાથવગા હોય એટલા ફૂલોમાંથી ગજરો બનાવવાની કળા.
  • ચિંતાજનક બનેલી ઘટનાને જે ભૂલી જાય છે તેની યાદશકિત ઉત્તમ કહેવાય.
  • જે તક ગુમાવે છે તે સફળતાને પણ ગુમાવે છે.
  • બધી જ સફળતાનો પાયો બધી જ નિષ્ફળતામાંથી બંધાય છે.
  • આવતી દરેક તકને ઝડપી લેવી એ મહાન થવાનું લક્ષણ છે.
  • સંકટ સમયે હિંમત ધારણ કરી લેવી એ અડધી લડાઈ જીતી લીધા બરાબર છે.
  • સાચુ ન લાગે તેવું સત્ય બોલતા તેના પરિણામનો સો વાર વિચાર કરી લેવો જોઈએ.
  • માન પામે તે નહિ, પણ માન પચાવી જાણે તે મહાત્મા છે.
  • આવતીકાલની પ્રગતિ અને સલામતિનો આધાર તમારી આજની પ્રવૃત્તિ પર છે.
  • પ્રાયશ્ચિત કરનારો એ સાબિત કરે છે કે,હજી તેનામાં માણસાઈ છે.

ટૂંકા સુવિચાર

  • તકની ખાસિયત એ છે કે તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે મોટી લાગે છે.
  • માત્ર નસીબને ભરોસે બેસી રહેવાથી તકને કયારેય ઓળખી ના શકાય.
  • જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
  • દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશકય જ લાગતા હોય છે.
  • સ્નેહપૂર્વક અપાએલ નાનામાં નાનુ દાન પણ મોટુ છે.
  • ખરેખર ભવિષ્ય હોતું જ નથી,માત્ર નિર્માણ કરવાનું હોય છે.
  • કાર્ય નાનું હોય કે મોટુ,તેની અસર સકારાત્મક હોવી જોઈએ.
  • જીવનમાં કરકસર કરો, લોભ નહિ.
  • અસત્ય વિજયી નિવડે તો પણ તે અલ્પજીવી હોય છે.
  • આંખમાં અમી તો દુનિયા ગમી,જીભમાં અમી તો દુનિયા નમી.

જ્ઞાન સુવિચાર

  • આદતને જો રોકવામાં ન આવે તો તે ટેવ બની જાય છે.
  • જેની કિર્તી નષ્ટ થઈ જાય છે તેનું જીવન જ નષ્ટ બની જાય છે.
  • સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યનાં બે ફેફસા છે.
  • સંતોષ જ આનંદનું મુળ છે.
  • સમય આપણને શાણા બનાવે તે પહેલા જ સમયસર શાણા બની જવું જોઈએ. 
  • ખરાબ વર્તનનો વિરોઘ વેરથી નહિ પરંતુ સારા વર્તનથી જરૂર કરવો જોઈએ.
  • શ્રમ વિના મેળવેલ સંપત્તિ સામાજિક પાપ છે.
  • વ્યકિતનાં શીલથી તેના જીવનની શૈલી બને છે.
  • સપનું એટલે પગથિયા વિનાની સીડી અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા.
  • મન બધા પાસે હોય પણ મનોબળ બહુ થોડા પાસે હોય છે.

જીવન સુવિચાર

  • જેની કલ્પના ઊંચી હોય તે કયારેય નીચી જિંદગી જીવી જ ના શકે.
  • નામ અને ઓળખાણ ભલે નાની હોય,પણ આપણી પોતાની હોવી જોઈએ.
  • નિષ્ઠાપૂર્વક કામ કરો,નામ તમારી પાછળ દોડતું આવશે.
  • સિદ્ધાંત કરતા સહકાર અને બહુમતિ કરતા સહમતિ વધું શ્રેષ્ઠ છે.
  • પોતાનાં પુરૂષાર્થ દ્વારા જે સત્ય શોધવામાં આવે તેને સાક્ષાત્કાર કહે છે.
  • જે ભૂતકાળમાંથી નથી શીખતો,તેને ભવિષ્ય સજા કરે છે.
  • આપણું જીવન અંતે તો અનેક લોકોની ભલાઈ અને ઉપકારનો સરવાળો છે.
  •  આપણને જે ગમે તે કરવા કરતા જે કરીએ એ ગમાડવું તે મોટી સિદ્ધિ છે.