🎉 ખુશખબર! ગુજરાતી બોધ વાર્તાઓની PDF બુક હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. અહીં ક્લિક કરો

Dr. Ambedkar Safai Kamdar Awas Yojana in Gujarat

Dr. Ambedkar Safai Kamdar Awas Yojana in Gujarat,ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના

ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના

સૌપ્રથમ આ યોજના વિશે સંપૂર્ણ માહિત જાણીએ (ઈ સમાજ કલ્યાણ વેબસાઈટ મુજબ )

યોજનાનો હેતુ
  • સફાઇ કામદાર અને તેમના આશ્રીતો કે જેઓ ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
નિયમો અને શરતો
  • આ યોજનાનો લાભ ફક્ત સફાઇ કામદારો અને તેના આશ્રિતોને જ આપવામાં આવશે. તે માટે સક્ષમ અધિકારીનો દાખલો અરજી સાથે રજૂ કરવાનો રહેશે.
  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની રહેશે.
  • ડૉ.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • આ યોજના હેઠળ આવક મર્યાદા ઘ્યાનમાં લેવાની રહેતી નથી
  • ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ બનેલ મકાન પર લાભાર્થીએ " રાજ્ય સરકારની ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના" એ મુજબની તકતી બનાવી લગાડવાની રહેશે.
  • અરજદારે રજૂ કરેલા આશ્રિત માટેની વ્યાખ્યાના કારણો અંગે કોઇ મુદ્દો ઉપસ્થિત થાય તો તેનો મંજુરી/ નામંજુરીનો આખરી નિર્ણય નિગમ કક્ષાએથી લેવામાં આવશે.
  • અરજદારે પ્રમાણપત્રો મુજબ અરજીમાં નામ લખવાનું રહેશે, તેમજ તે જ પ્રમાણે અરજીમાં જે સહી કરવામાં આવે તે જ પ્રમાણેની સહીનો નમૂનો અધિકૃત ગણાશે.
  • અરજી ઓનલાઇન થયા બાદ અરજીની બે-નકલો અરજદારે જીલ્લા કચેરીએ જમાં કરાવવાની રહેશે.
  • ર્ડા. આંબેડકર આવાસ યોજના, ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના કે સરકારશ્રીની અન્ય કોઇ આવાસ સહાયની યોજનાઓ હેઠળ લાભાર્થી કે લાભાર્થીનાં પતિ-પત્નીએ અગાઉ આવાસ સહાયનો લાભ લીધેલ હશે તો અરજી નામંજુર કરવામાં આવશે.
  • આવાસ સહાયનો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
  • આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.
  • સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • અરજદારે સફાઇ કામદાર કે તેના આશ્રીત હોવા અંગેનો સક્ષમ અઘિકારીનો દાખલો.
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો/એલ.સી (ફરજીયાત નથી).
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો(ફરજીયાત નથી)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જમીન માલિકીનું અથવા કાચુ મકાન ઘરાવતા હોયતો તેનાઆધાર જેવા કે દસ્તાવેજ/આકારણી પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
  • ચૂંટણી ઓળખપત્ર
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું
  • અન્ય જગ્યાએ થી આવાસ માટે સહાય મળેલ નથી તેઅંગેનું પ્રમાણપત્ર

ત્યારબાદ જો આપેલ માહિતી મુજબ તમે આ યોજના માટે લાયક હોય તો તમારે 
ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના લાભ લેવા માટે સૌપ્રથમ https://esamajkalyan.gujarat.gov.in/ ઓફિસિયલ વેબસાઈટ પર જઈને 
રજીસ્ટ્રેશન કરવાનું રહશે.

અથવા તમે પહેલેથી જ રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમારે તમામ ડોકયુમેન્ટની સોફ્ટ કોપી તૈયાર કરવાની રહશે આ યોજનામાં આવેદન કરતા પહેલા.

હવે તમારે નીચે આપેલ લીંક પર ક્લિક કરવાથી તમે સીધા જ યોજના લાભ લેવા આવેદન કરી શકશો.


ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના

  • ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અરજી ફોર્મ: ડાઉનલોડ
  • ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અરજી માટે જરૂરી દસ્તાવેજો જોડાણ : ડાઉનલોડ
  • ઓફિસીયલ વેબસાઈટ : https://esamajkalyan.gujarat.gov.in/

Dr. Ambedkar Safai Kamdar Awas Yojana in Gujarat

Dr. Ambedkar Safai Kamdar Awas Yojana Gujarat form,Dr. Ambedkar Safai Kamdar Awas Yojana bahedari patrak,Dr. Ambedkar Safai Kamdar Awas Yojana apply online.