પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના


પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નો મુખ્ય હેતુ ?


પોતાના વરસાગત પેઢી દર પેઢી કામ કરતાં કારીગરો જેવા કે કડિયા કામ, સુથાર કામ , લુહાર કામ,સોની, વાળંદ કામ, કુંભાર કામ વગેરે કાર્યો સાથે જોડાયેલ કારીગરો માટે સરકાર શ્રી દ્વારા મહત્વપુર્ણ યોજના બહાર પાડવામાં આવી છે, સરકારે આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા યોજના રાખ્યું છે, જે અંતર્ગત વિશ્વકર્મા સમુદાય હેઠળ આવતી લગભગ 125+ જાતિઓને સમાવેશ કરવામાં આવ્યો છે.

PM vishwakarma yojana in gujarati



પારંપરીક શિલ્પકારો અને કારીગરોને સહાયતા માટેની કેન્દ્રીય યોજના એટલે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તો ચાલો અપણે આ યોજના વિશે સમ્પુર્ણ માહીતિ મેળવીયે.


પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના મુખ્ય હેતુઓ

  • ૧૩ હજાર કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ
  • ૧૮ પારંપરીક વ્યવસાયો સામેલ
  • શિલ્પકારો અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા માન્યતા મળશે.
  • પ્રથમ તબક્કામાં ૧ લાખ રૂપિયા સુધીની અને બીજા તબક્કમાં ર લાખ રૂપિયા સુધીની મદદ માત્ર પ% ટકાના દર પર
  • યોજના અંતગત કૌશલ વિકાસ પ્રશિક્ષણ, ટુલકીટ લાભ, ડિજીટલ લેવડ દેવડ પર ઈન્સેટીવ અને માર્કેટીંગ સપોર્ટ મળી રહેશે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનાં લાભાર્થી

  1. સુથારી કામ
  2. નાવ (હોડી) બનાવવાનું કામ કરનાર
  3. અસ્ત્ર બનાવનાર
  4. લુહાર
  5. તાળુ બનાવનાર
  6. હથોડા અને ટુલકીટ બનાવનાર
  7. સોનાર (સોની)
  8. કુંભાર
  9. મૂર્તિકાર/પથ્થર કોતરણીકાર
  10. મોચીકામ
  11. કડિયાકામ
  12. ટોપલી, ચટ્ટાઈ, સાવરણી બનાવનાર
  13. પારંપરીક ઢીંગલી અને રમકડાં બનાવનાર
  14. નાયી (વાળંદ)
  15. માળાઓ બનાવનાર
  16. ધોબી
  17. દરજી
  18. માછલીની જાળ બનાવવાનું કામ કરનાર

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ.


- આધારકાર્ડ - પાનકાર્ડ - રેશનકાર્ડ
- આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર
- સેવિંગ બેંક ખાતાની વિગત
- પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડ

    નોંધ  : પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કાર્ડ બનશે.

યોજના વિશે વધુ માહિતી મેળવવા તથા ફોર્મ ભરવા માટે નજીકના C.S.C સેન્ટરની મુલાકાત લ્યો.